(N/A) બેન્ઝીનનું નાઈટ્રેશન એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે. આ ક્રિયાવિધિ ત્રણ મુખ્ય તબક્કાઓમાં થાય છે:
$1$. ઇલેક્ટ્રોન અનુરાગીનું નિર્માણ: સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ વચ્ચેની પ્રક્રિયાથી નાઈટ્રોનિયમ આયન $(NO_2^+)$ ઉત્પન્ન થાય છે,જે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કાર્ય કરે છે.
$HNO_3 + 2H_2SO_4 \rightarrow NO_2^+ + H_3O^+ + 2HSO_4^-$
$2$. કાર્બોકેટાયન મધ્યવર્તી (એરેનિયમ આયન) નું નિર્માણ: ઇલેક્ટ્રોન અનુરાગી $(NO_2^+)$ બેન્ઝીન વલય પર હુમલો કરે છે અને સંસ્પદન-સ્થાયી કાર્બોકેટાયન બનાવે છે,જેને સિગ્મા સંકિર્ણ અથવા એરેનિયમ આયન કહેવાય છે.
$3$. પ્રોટોનનું દૂર થવું: બેઇઝ $(HSO_4^-)$ એરેનિયમ આયનના $sp^3$ સંકરણ ધરાવતા કાર્બન પરથી પ્રોટોન દૂર કરે છે,જેથી વલયની એરોમેટિકતા પુનઃસ્થાપિત થાય છે અને નાઈટ્રોબેન્ઝીન બને છે.